મારા વિશે

   


મારું નામ પટેલ રવિકુમાર નારાયણભાઈ છે. મારા ગામ નું નામ ખંભીસર છે જે સાબરકાંઠા ના મોડાસા તાલુકા માં આવેલું છે.અને હું દાહોદ જીલ્લા ના ફતેપુરા તાલુકા ના નારપુરા પ્રા.શાળા માં નોકરી કરું છુ.હું આ બ્લોગ થી આપ સૌ મિત્રો ને શિક્ષણ ને લગતી તમામ માહિતી આપવાનો પ્રયાસ કરીશ.મારા ગામ  વિશે વાત કરું તો  મોડાસા થી ૧૫ કિમી હિમતનગર રોડ પર આવેલું છે.મારા ગામ માં અંદાજે ૧૫૦૦ લોકો ની વસ્તી છે.મારા ગામ માં શિક્ષણ નું ખુબ જ મહત્વ છે .મારું ગામ આજુબાજુ ના પંથક માં લોક એકતા માટે ખુબ જાણીતું છે.ગામ માં અંદાજે ૨૦૦ જેટલા પ્રા શિક્ષકો તેમજ ડોકટર તેમજ એન્જીનીઅર પણ છે .ગામ મુખ્ય વસ્તી પટેલ ની છે અને   ખંભીસર એ મોડાસા પંથક નું પટેલ નું મોટા મોટું ગામ છે.ગામ માં તે ઉપરાંત પ્રજાપતિ, દરજી ,પંચાલ  વગેરે જાતીના લોકો રહે છે. 

No comments:

Post a Comment